ધંધૂકાના કિશન ભરવાડ ના આત્મા ની શાંતિ માટે જામનગર માં હિન્દુ સેના ના શાંતિ પાઠ માં લેવાયા સંકલ્પ

હિન્દ ન્યુઝ, જામનગર

         ધંધુકા ગામે સનાતન હિન્દુ યુવક કિશન ભરવાડ ની વિધર્મી જેહાદીઓ દ્વારા ઘાતકી હત્યા કરી હિન્દુ સમાજમાં ભય ફેલાવવાનું સાથોસાથ હિન્દુ આગેવાનોને ખતમ કરવાનું ષડયંત્ર સામે આવ્યું છે અને આ ષડયંત્ર ની કડી પાકિસ્તાન સુધી નીકળી છે. જામનગરમાં ‘હિન્દુ સેના’ દ્વારા કિશન ભરવાડ ના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે એમ્યુઝમેન્ટ પાર્ક ની પાછળ આવેલ શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે શાંતિપાઠ કરી આરતી કરી કિશનભાઇ ની રાષ્ટ્ર, ધર્મ પ્રત્યે ની લાગણી હોય તેમના અધૂરા કાર્યો પુરા કરવા સંકલ્પબદ્ધ થયા હતા ‘હિન્દુ સેના’. જેમાં કર્મકાંડી બ્રાહ્મણ ના પ્રમુખ કપિલ પંડ્યા, ઉપપ્રમુખ ભાવેશભાઈ, હિન્દુ સેના ધર્માચાર્ય સૌરાષ્ટ્ર પ્રમુખ રવિ શાસ્ત્રી દ્વારા ગીતાપાઠ અને મંત્રોચાર થી શરૂ કરી કિશનભાઈ ના હિન્દુત્વ પ્રત્યેની લાગણી ને ધ્યાને લઈ તેમના અધૂરા રાષ્ટ્ર, ધર્મ માટેના કામ પુરા કરવાના સંકલ્પ લેવડાવ્યા હતા.

‘હિન્દુ સેના’ શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ, હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટ, સૌરાષ્ટ્ર યુવા પ્રમુખ મયુર પટેલ, ભાવેશ ઠુંમર, જય નાડિયાપરા, વિશાલ ખખર, ગૌરક્ષક આશુતોષ પાઠક, વોર્ડ નં. ૭ ભાજપ ના પ્રમુખ નરભેરામભાઈ ડાકા, માલધારી સેલ ના કનવિનર કમલેશ ભરવાડ, યુવા ભાજપના અશ્વિન વસરા, ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ના પૂજારી પીન્ટુ મહારાજ સહિત અનેક હિન્દુ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

Leave a Comment