ભરૂચ જિલ્લા કક્ષાના ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે ……

હિન્દ ન્યુઝ, ભરૂચ

આગામી તા.૨૬મી જાન્યુઆરી, ૨૦૨૨ના ૭૩ માં પ્રજાસતાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર હોઇ નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે બેઠક મળી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલે ૭૩ માં પ્રજાસત્તાક પર્વના રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણી વર્તમાન કોવિડની પરિસ્થિતિને અનુલક્ષીને કરવામાં આવનાર હોઇ તે અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું. ૭૩ માં પ્રજાસત્તાક પર્વ પ્રસંગે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સવારના ૯-૦૦ કલાકે રાજયના અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે. બેઠકમાં નિવાસી અધિક કલેકટરએ સમગ્ર કાર્યક્રમ કોવિડ-૧૯ની માર્ગદર્શિકા અનુસાર આયોજિત થાય તેની તકેદારી રાખવાની સાથે કાયદો-વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પોલીસ પરેડ, પાર્કિગ, સાફ-સફાઇ, વૃક્ષારોપણ સહિત આનુષાંગિક વ્યવસ્થાઓની વિગતવાર ચર્ચા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું. આ બેઠકમાં ડીવાયએસપી, પ્રાયોજના વહીવટદાર અસારી, પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા.

Related posts

Leave a Comment