ભાજપના વધુ ઍક આગેવાન કુંવરજીભાઈ થયા કોરોના સંક્રમિત

હિન્દ ન્યુઝ, જસદણ

જસદણના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટમંત્રી કુંવરજીભાઈ બાવળીયાને ગઈકાલથી તાવ અને શરદીની ફરીયાદ બાદ આજે બપોર બાદ તેઓએ કોરોના ટેસ્ટ કરાવતા. તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે હાલ તેઓ તબીબી માર્ગદર્શન હેઠળ હોમ આઈસોલેશનમાં છે કુંવરજીભાઈનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ભાજપ વર્તુળમાં ફફડાટ ફેલાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત શનિ-રવિ શ્રી ઘેલા સોમનાથદાદાના સાનિધ્યમાં ભાજપનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. આ વર્ગમાં ઉપસ્થિત જસદણના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાનો રીપોર્ટ આજે સવારે પોઝીટીવ આવ્યા બાદ બપોરે કુંવરજીભાઈનૉ રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. આ બેઠકમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા સહિત જસદણ વિંછીયા તાલુકાના અને જીલ્લા ભાજપના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment