રઘુવંશી જ્ઞાતિ નાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય ખંભાળિયા ની મુલાકાતે

હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા

રઘુવંશી જ્ઞાતિ માટે ગૌરવરૂપ અને લોકલાડીલા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય અત્રે સુશાસન સપ્તાહ ના કાર્યક્રમ નિમિતે નગરપાલિકા ટાઉનહોલ, પોરબંદર રોડ, ચાર રસ્તા, ખંભાળિયા ખાતે સવારે 11 વાગ્યે હાજરી આપી હતી. જે અંતર્ગત સમસ્ત રઘુવંશી સમાજ તેમજ સેવાકીય પ્રવૃત્તિ કરતી રઘુવંશી સમાજ ની તમામ સંસ્થાઓ તેમનું સન્માન કરવામાં આવેલ. તો આ પ્રસંગે તમામ રઘુવંશી સમાજની સંસ્થાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. સમાજ ની આજ રીતે એકતા જળવાઈ રહે તેવી જલારામબાપા ને પ્રાર્થના સહ સર્વે જ્ઞાતિ અગ્રણી, સંસ્થાના હોદેદારો , કોર્પોરેટરો, ભાજપના શહેર પ્રમુખ તેમજ સર્વે કાર્યકરો નો આભાર વ્યક્ત કરીએ છીએ.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Related posts

Leave a Comment