સલાયા શહેર ભાજપ મહામંત્રી દ્વારા નિરામય બાળ પોષણ કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી અને કેન્દ્રની વિવિધ પ્રવૃતિઓ વિષે માહિતી મેળવી અને ટીમને અભિનંદન પાઠવ્યા

હિન્દ ન્યુઝ,

સલાયા શહેર ભાજપ મહામંત્રી દ્વારા મધુરમ સોસાયટી ખંભાળિયા મુકામે આવેલ નિરામય બાળ પોષણ કેન્દ્ર જે જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા, નાયરા એનર્જી, આઈ.આઈ.પી.એચ. ગાંધીનગર અને નિરામય ટ્રસ્ટના સહયોગથી શરુ કરવામાં આવેલ સારવાર કેન્દ્ર છે. આ કેન્દ્ર ખાતે એક સાથે 20 અતિ ગંભીર કુપોષિત બાળકોને દાખલ કરી તેમની 14 દિવસ માટે સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર કરી અને તેમના પોષણના સ્તરને સુધારવાના પ્રયત્નો કરવામાં આવે છે. સંસ્થા દ્વારા બાળકો અને વાલીઓને લેવા મુકવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ યોજનાનો લાભ સલાયા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના બધા બાળકો લઇ શકે તે માટે સલાયા શહેર ભાજપ મહામંત્રી ચિરાગભાઈ તન્ના (લાલજીભાઈ ભૂવા) દ્વારા ચર્ચા કરવામાં આવી.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Related posts

Leave a Comment