ગીર સોમનાથ જિલ્લાના એડવોકેટ એન્ડ નોટરી એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ ખાતે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ નોટરી એક્ટ અંગે ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ કરતા નોટરી વકીલોનું રજીસ્ટ્રેશન હવે 15 વર્ષે જ રહેશે અને ત્યારબાદ રીન્યુ પણ નહિ થાય તેવા સુધારા કરતા તેમજ વય મર્યાદાનો પણ આ ડ્રાફ્ટ એમેન્ડમેન્ટમાં ઉલ્લેખ ના હોય જેથી વકીલ આલમમાં રોષ છવાયો છે તેમજ નોટરીના હક્કો ઉપર કોઈને તરાપ મારવાનો અધિકાર નથી જેથી સરકારનો આ ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ પરત ખેંચવા ગુજરાત રાજ્યમાં વિરોધ શરુ થઇ ગયેલ છે જેથી ગીર સોમનાથ જિલ્લા એડવોકેટ એન્ડ નોટરી એસોસિએશન દ્વારા ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ પરત ખેંચવા આવેદન પત્ર પાઠવેલ.

Related posts

Leave a Comment