આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શામપરા ખાતે કલા ઉત્સવ – ૨૦૨૧ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગરના વળાવડ ગામની દીકરી વકૃત્વ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ જિલ્લા પ્રતિનિધિત્વ કરશે, આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત શામપરા ખાતે કલા ઉત્સવ -૨૦૨૧ ની ઉજવણી કરવામાં આવી હતી. શામપરા સ્વામિનારાયણ ગુરુકુળમાં આયોજિત આ કલા મહોત્સવમાં નિબંધ સ્પર્ધા,વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, કાવ્ય ગાન સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકામાં પ્રથમ નંબરે આવેલ વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાના આ ઉત્સવમાં ભાગ લીધો હતો. જેમાં વકતૃત્વ સ્પર્ધામાં વળાવડ પ્રાથમિક શાળાની નિકિતબેન વિનુભાઈ મકવાણાએ સિહોર તાલુકાનું પ્રતિનધિત્વ કર્યું હતું અને ભાવનગર જિલ્લા કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં તેઓનો પ્રથમ નંબર આવ્યો હતો. નિકિતબેનને રૂ.૧૦૦૦ નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. હવે તેઓ ભાવનગર જિલ્લાનું રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. વળાવડ ગામનું ગૌરવ વધારનાર આ દીકરીને લઈને આચાર્ય શ્રી પદ્માબેન અને સમગ્ર સ્ટાફ હર્ષની લાગણી અનુભવે છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment