શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સરદારનગર ખાતે આવતીકાલે મહારક્તદાન કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

DONATE RED અંતર્ગત અ. નિ. પ.પુ. સદગુરુ પુરાણી સ્વામી શ્રી નારાયણપ્રિયદાસજીની પુણ્યસ્મૃતિ નિમિત્તે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે.

આ મહારક્તદાન કેમ્પમાં સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, રિક્ષાચાલકો બસ ડ્રાઈવરો તેમજ કોલેજના છાત્રો ઉત્સાહથી જોડાઇને રક્તદાન મહીયતે સૂત્રને સાર્થક કરશે. સમસ્ત ભાવેણાવાસીઓને પણ આ ઉત્તમ સેવા કાર્યમાં જોડાવા માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સરદારનગર દ્વારા ભાવભર્યું આમંત્રણ છે.  આ ઉમદા સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈ સમાજ ઉપયોગી થઈ ઋણમુક્ત થઈએ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, સરદારનગર અને શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય, જી.આઈ.ડી.સી., ચિત્રા એમ બન્ને સંકુલોમાં એક સાથે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

બ્યુરોચીફ : હકીમ ઝવેરી, ભાવનગર

Related posts

Leave a Comment