ઘોઘા તાલુકાના વાલેસપુર અને ભીંકડા પ્રાથમિક શાળામા મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ઘોઘા તાલુકામાં વાલેસપુર અને ભીંકડા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલકની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ, સામાન્ય ઉમેદવારો માટે વયમર્યાદા લઘુતમ ૨૦ વર્ષ અને ૩૫ વર્ષથી ઓછી હોવી જોઈએ. વિધવા, ત્યક્તા તથા સ્ત્રી ઉમેદવારો, આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો તથા સ્થાનિકને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે.

સંચાલકોના અરજી ફોર્મ જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન મામલતદાર કચેરી, ઘોઘા ખાતેથી મળી શકશે. ઉમેદવારોએ પોતાનાં ફોર્મ અરજી તા.૧૬/૦૯/૨૦૨૧ સુધીમાં જરૂરી આધારો સાથે મામલતદાર કચેરી, ઘોઘાને મોકલી આપવાના રહેશે. સમયમર્યાદા બાદ મળેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં તેમ મામલતદારશ્રી, ઘોઘાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment