હિન્દ ન્યુઝ, મહિસાગર
મહિસાગર જિલ્લા ના સંતરામપુર મુકામે ભારત નો સામ્યવાદી પક્ષ (સીપીઅેમ) અને કિસાન સભા તરફથી રેલી કાઢી મુખ્ય મંત્રી ને સંબોધીને મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સીજનનો 25 ટકા વરસાદ થયો હોય મહિસાગર જિલ્લાને અછતગસ્ત જાહેર કરો, રાહત કામો ચાલુ કરો, દરેકને કોરોના મહામારી પછી બેરોજગારી વધી છે તેથી 7500 (સાડા સાત હજાર) સહાય આપવામાં આવે, ખેડૂતો ના દેવા માફ કરો, પોલીસ પટેલ ને ફરીથી બહાલ કરો, 15 વર્ષો જુના વાહનો ને ભંગાર ગણવાનો કાયદો પાછા ખેંચો વગેરે આ સાથેના આવેદનપત્રમાં આપેલી માગણી ઓ ની રેલીની આગેવાની સીપીએમ ના જિલ્લા મંત્રી સાલમભાઈ શેખ, મહિસાગર જિલલા કિસાન સભા ના પ્રમુખ ફુલસિંહ, ઉપ પ્રમુખ રતનાભાઈ, દાહોદ જિલ્લાના કનુ કટારા અને સીપીઅેમ ના રાજય સમિતિ સભ્ય ડી.આર.જાદવ ની આગેવાની માં આ રેલી નુ આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : મોહસીન ચૌહાણ, મહિસાગર