સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લાકક્ષાના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની સુરેન્દ્રનગર સ્થિત જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે કૃષિ, પંચાયત અને પર્યાવરણ વિભાગના રાજય મંત્રી જયદ્રથસિંહજી પરમારના હસ્તે સવારે ૯.૦૦ કલાકે ધ્વજવંદન કરવામાં આવશે. નોંધનીય છે કે, આ સ્વતંત્રતા દિનના કાર્યક્રમમાં કોરોના મહામારીમાં યોગદાન આપેલ હોય તેવા કોરોના વોરીયર્સનું તેમજ પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમના અંતે રાજય મંત્રી તથા અન્ય મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવશે.

Related posts

Leave a Comment