ભાવનગર શહેરનો સ્વાતંત્ર્ય દિવસ રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા ખાતે યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં ૭૫ માં સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી થનાર છે. ભાવનગર શહેરમાં પણ આ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમની ઉજવણી શહેરનાં પ્રથમ નાગરીક મેયર શ્રીમતિ કિર્તીબાળા દાણીધારીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

મેયર આ અવસરે રાષ્ટ્રધ્વજને લહેરાવીને સલામી આપશે. આ અંગેનો કાર્યક્રમ રવિવારના રોજ સવારના ૯-૦૦ વાગ્યે શ્રી રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા, યશવંતરાય નાટ્યગૃહની બાજુમાં, મહિલા કોલેજ સર્કલ ખાતે યોજવામાં આવશે. આ ઉજવણીમાં નગરના ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહેશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment