હિન્દ ન્યુઝ, ડાંગ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ટીબી નાબુદી અભિયાન-૨૦૨૫’ ને સાકાર કરવા માટે ડાંગ જિલ્લાના તમામ ખાનગી તબીબોને સહયોગી થવાની હાંકલ કરતા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હિમાંશુ ગામીતે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, ક્ષય જેવા ગંભીર રોગને દેશવટો આપવા માટે જિલ્લામા નોંધાયેલા તમામ ખાનગી તબીબો આ બાબતે સંવેદનશીલતા કેળવે તેમ જણાવ્યુ હતુ.