દ્વારકાધીશના મંદિરે ધર્મ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા સામે હિન્દુ સેના ની વ્યૂહરચના

હિન્દ ન્યુઝ, જામનગર

જામનગર કિશાન ચોક માં આવેલ દ્વારકાધીશ મંદિર ખાતે તા. 2 ઓગસ્ટ 2021 ના રોજ રાત્રીના 08:00 થી 09:00 વાગ્યા સુધી ધર્મ વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે અવાજ ઉઠાવવા હિન્દુ સેનાની એક અગત્યની બેઠક નું આયોજન કરેલ છે. જેમાં એક માસથી ચાલતી દેવી દેવતા અને તેમજ ધાર્મિક ચિન્હો ને કે ટાઇલ્સ કે ફોટા લગાવી ધર્મનું અપમાન કરનારા સામે હિન્દુ સેના એ રોષ વ્યક્ત કર્યો હતો. આ અભિયાનને એક માસ સુધી ચલાવવાનું અલ્ટીમેટ આપ્યા બાદ વધુ એક માસ સુધી આ અભિયાન આગળ ચાલશે તેમજ ફિલ્મ સ્ટારો દ્વારા ફિલ્મો વેબ સીરીઝો કે સિરિયલો દ્વારા આપણા ધર્મનું થતું અપમાન તેમજ રાજકીય રોટલા શેકવા રાજકીય નેતાઓ દ્વારા ગુજરાતમાં ચાલતા ખોટા ધર્મ વિરોધી બફાટ સામે કઈ રીતે અવાજ ઉઠાવવો અને આવા ધર્મના થતા અપમાનો સામે હિન્દુ સેના દ્વારા કઈ રીતની લડત આપવી તેની વ્યૂહરચના ઘડવા માટે જામનગર જવાબદાર સૈનિકો એકત્રિત થવું. ધર્મ વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે સંઘર્ષમય પગલાં લેવા તેમજ તેમની સામે અવાજ ઉઠાવવા હિન્દુ સેના એ કાયદો હાથમાં લેવો પડે તો પણ અચકાયા વિના ની વ્યૂહરચના ઘડવા માટે જામનગરના દ્વારકાધીશ મંદિરે એક અગત્યની બેઠકનું આયોજન કરેલ છે.

Related posts

Leave a Comment