હિંદુ ધર્મની લાગણી દુભાતા પુસ્તકોનું વેચાણ કરતા ષડયંત્રને ખુલ્લા પાડવા હિન્દુ સેના ની હાકલ

હિન્દ ન્યુઝ, જામનગર 

કાલાવડ ના પડઘા હવે સમગ્ર ગુજરાતમાં

     ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ ધર્મની લાગણી દુભાતા પુસ્તકોનું વેચાણ થઈ રહ્યું છે અને આ એક મોટું ષડયંત્ર છે. જેમાં અમદાવાદ, જુનાગઢ, રાજકોટ, જામનગર અને તાલુકાઓમાં પણ આવા ધાર્મિક પુસ્તકો વેચાઇ રહ્યા છે અને આ પુસ્તકો સ્લમ વિસ્તારો ની અંદર સસ્તા ભાવે આપી રહ્યા છે. આ પુસ્તકો ગીતા ના નામ પર ધર્મના નામ ઉપર હોય અને અંદરના ભાગમાં મહંમદ પયગંબર વિષે લખીનેલોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, ઈશ્વરનો સંદેશો આપનાર ભગવાન તરીકે મહંમદ પયગંબરને ઓળખાવી આ પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિન્દુઓએ સાવધાન રહેવાની જરૂર છે. રાજકોટ માં 3 દિવસથી ગીતાના નામે પુસ્તકો વહેંચ્યા બાદ મીની બસ સાથે 20 થી વધુ લોકો આ પુસ્તકો તાલુકા ગામડા અને જિલ્લા મા ફરી ફક્ત 10 રૂપિયા જેવી નજીવી કિંમતે વહેંચી રહ્યા છે. જે હિંદુ ધર્મ ની લાગણી દુભાવે તેવા નુકસાનકારક પુસ્તકો વહેંચી રહ્યા છે. આજ રોજ કાલાવડના ડૉ. સીમાબેન પટેલ (રાષ્ટ્રીય એકતા મંચ નાં રાષ્ટ્રીય અધ્યક્ષા) તથા વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ સેના તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સ્વયંસેવકોની જાગૃતતાથી આ ષડયંત્ર અત્યારે કાલાવડમાં જાહેર થઇ ચૂકયું છે. જેની નોંધ પોલીસ દફતરે પણ નોંધાઈ ચુકી છે જેથી ગુજરાતના તમામ હિન્દુ લોકોએ જાગૃત થઈ આવા ષડયંત્ર ને બહાર લાવવા તેમજ ખુલ્લા પાડવા હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટે હાકલ કરી છે.

પ્રતીક ભટ્ટ
ગુજરાત ‘હિન્દુ સેના’ અધ્યક્ષ

Related posts

Leave a Comment