આપ પાર્ટીનાં ગોપાલ ઈટાલીયા સામે સમગ્ર ગુજરાતમાં રોષ પ્રગટ

હિન્દ ન્યુઝ, જુનાગઢ

આપ પાર્ટીનાં ગોપાલ ઈટાલીયા સામે સમગ્ર ગુજરાતમાં રોષ પ્રગટ થઈ રહ્યો છે. તા ૧૪ નાં રોજ બપોરનાં ચાર કલાકે સમગ્ર હિન્દુ સમાજને સાથે લઈ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ બ્રહ્મસેના દ્વારા જાહેર થયો છે. રાજ્યભરમાં આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જગતગુરુ શંક્રાચાર્યજી પાસે તા ૧૪ સુધીમાં માંફી માંગવાનું અલ્ટીમેટમ અપાયુ છે. બ્રાહ્મણ સમાજનાં વિવિધ સંગઠનો દુર્ગાસેનાની બહેનોને સાથે હિન્દુ સંગઠનને એક કરવા મથી રહ્યા છે. આર એસ એસ , વી.એચ.પી, બજરંગદળ, હિંદુ યુવા વાહિની, સ્વામીનારાયણ મંદિર સ્વાધ્યાય પરિવાર, ગાયત્રી પરિવાર, હિન્દુ સંસ્થાઓ મંદિરનાં પુજારીઓ, રાજકિય પાર્ટીનાં અગ્રણીઓ, કથાકારો, કર્મકાંડી બ્રાહમણો સહિત અનેક લોકોને સહકાર આપવા બ્રાહ્મણ સંગઠનો અપીલ કરી. કથાકારો અને સંતો પણ તા ૧૪ નાં રોજ મેદાનમાં ઊતરશે. રાજકીય સ્ટંટ કરવા અપાયેલા હિન્દુ સમાજનાં સન્માનને ઠેંસ પહોચાડનારા નિવેદન ગોપાલ ઈટાલીયા દ્વારા થયા છે ત્યારે સમાજને એક બની લડત આપવા ઠેર ઠેરથી અપીલ થઈ રહી છે. બ્રહ્મસમાજની પેટાજ્ઞાતિ ગોળતડ મંડળો અને યુવાનો મેદાનમાં ઊતર્યા છે. હિન્દુ સમાજ માટે કલંક રુપ નિવેદન કરી ગોપાલ ઈટાલીયા રાજકીય ખીચડી પકાવી રહ્યા છે. હિન્દુ સમાજની તમામ જ્ઞાતિઓ એક બની હાલ ગુજરાતભરમાં તા ૧૪ જુલાઈનાં આવેદનપત્ર આપવાની તૈયારીમાં છે. ભાજપ કોંગ્રેસ સહિત અમુક આપનાં કાર્યકર્તા પણ આ આંદોલનને ટેકો આપી રહ્યા છે.

Related posts

Leave a Comment