માંગરોળ તાલુકાના ઢેલાણા ગામે ધોળા દિવસે કુહાડી ના ઘા ઝીંકી મહિલાની હત્યા કરાય

હિન્દ ન્યુઝ, માંગરોળ

      જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઢેલાણા ગામે ધોળા દિવસે મહિલાને કુહાડીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ ની જાણવા મળતી વિગત એવી છે કે માંગરોળ તાલુકાના ઢેલાણા ગામે તેમના પતિ અને પરિવાર સાથે રહેતી દલિત મહિલા ભારતીબેન નરેન્દ્ર  સોલંકી (ઉ. વ.૩૫) તેમના બાળકો સાથે ઘરે એકલા હોય. પતિ અને જેઠ મજુરીએ ગયેલા હોય આ સમયગાળામાં ઢેલાણા ગામમાં અને પડોશમાં જ રહેતો મનસુખ પિઠા પરમાર નામનો શખ્સ ઘસી આવેલ અને મહિલા ને માથાના ભાગે કુહાડીના ઘા ઝીંકી દીધા હતા. આ હત્યા ને મહિલા ની જેઠાણી અને તેની છોકરીએ નજરે જોયું હોય તેવું મૃતક મહિલાના જેઠ એ મિડિયા સમક્ષ જણાવ્યું છે. મહિલાને 2 સંતાન એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણ મળ્યું છે. હત્યા કરવા નું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળેલ નથી.

આ ઘટના ની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ડેડબોડી ને પીએમ માટે માંગરોળ સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવેલ છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાય છે. આરોપી ને પકડવા માંગરોળ પોલીસે ઢેલાણા ગામમા ચક્રોગતિમાન કર્યા છે.

રિપોર્ટર : હશિમ ચાંદા, માંગરોળ 

Related posts

Leave a Comment