હિન્દ ન્યુઝ, ચોટીલા
શારદાનંદન વૈયાવ્રય કેન્દ્ર ચોટીલા ખાતે પધાર્યા હતા. ચોટીલામા આગમન થતા ભક્તોએ સંતો સાથે મુલાકાત કરી હતી. એ સમયે આ સંતોએ જણાવેલ કે કોરાના કાળમા કોઇ ગૌશાળા સુધી પહોચ્યા નથી. કોઇએ પણ ગાયોની શી હાલત છે એ જોઈ નથી. જેથી પ્રાણીઓના જીવ બચાવવા માટે દાન કરો, આમ ગૌસેવા કરવા માટે લોકોને અપીલ કરાઇ હતી.
તેમજ આજે ચોટીલા પાંજરાપોળની મુલાકાત લઇ અને ગૌશાળામાથી ગોબર, ગૌમૂત્ર વગેરેમાથી બનતી વસ્તુ બનાવી અને ગૌશાળાનો ખર્ચ કેવી રીતે નિકળે તેનુ સુચન કરવામા આવ્યુ. પાંજરાપોળની મુલાકાત દરમિયાન પાંજરાપોળ પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓ અને ચોટીલાના વણીકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : અજીત ચાંવ, ચોટીલા