ભારતની સુપ્રસિદ્ધ નડિયાદ સ્થિત મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ દ્વારા કુંડળધામ ખાતે કિડની અને પ્રોસ્ટેટ નિદાન માટે નિઃશુલ્ક કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, 

કિડની અને પ્રોસ્ટેટ ના રોગો છૂપા હોય છે તેથી સમયસર તેનું ચેકપ કરાવવું ખૂબ જ જરૂરી છે

   

     વર્ષ 2017-18 ના સર્વેક્ષણ મુજબ કિડની સ્ટોનની સારવાર માટે વિશ્વમાં પ્રથમ નંબર આવેલ નડિયાદ સ્થિત મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH) દ્વારા પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીના સાનિધ્યમાં સંતો તથા જરૂરિયાત મંદ લોકો માટે નિશા નિ:શુલ્ક કિડની અને પ્રોસ્ટેટ નિદાન માટેના કેમ્પનું શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ ખાતે 27-06-2021 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.

       યોજાયેલા આ કેમ્પમાં MPUH ના 14 યુરોલોજીસ્ટ ડોક્ટરો તથા 13 જેટલા નર્સિંગ સ્ટાફ દ્વારા સંતો તથા અલગ અલગના જરૂરિયાતમંદ લોકો માટે કિડની અને પ્રોસ્ટેટનું તથા જરૂરી ટેસ્ટ કરી સારવાર કરવામાં આવી હતી. તેમજ આ રોગ વિશે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. જેઓ દેશ-વિદેશમાં વસતા હજાર લોકોએ યુટ્યુબ દ્વારા લાઈવ લાભ લીધો હતો.

     વર્ષ 2018 ના સર્વેક્ષણ મુજબ વિશ્વ ના ટોપ 10 યુરોલોજીક ડોક્ટરોમાં જેની ગણના છે તેવા મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ નિશાંતના ડો.મહેશ આર. દેસાઈએ જણાવ્યું હતું કે આપણા શરીરમાં બીજા રોગો પોતાના લક્ષણ દાખવીને ચેતવતા હોય છે. પણ કિડની અને પ્રોસ્ટેટ ના રોગોના બાહ્ય લક્ષણો ઘણી વાર નથી જણાતા અને ગુપચુપ પોતાનું કામ કરતા રહીને આપણને નુકસાન પહોચાડી શકે છે. એટલે સમયસર કિડની અને પ્રોસ્ટેટનું ચેકઅપ કરાવવું ખૂબ જરૂરી છે જેથી ભવિષ્યમાં વધુ ખરાબ પરિસ્થિતિથી બચી શકાય છે. તેમજ મ્યુહ ના મેડિકલ ડિરેક્ટર ડો. એ.કે. રસ્તોગીએ પણ આ બાબતે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

     આ કિડની અને પ્રોસ્ટેટ નિદાન કેમ્પના અંતે નડિયાદ સ્થિત મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH) ના સમગ્ર મેમ્બર્સ -સ્ટાફના આ ભગીરથ નિ:શુલ્ક સેવા કાર્યને બિરદાવતાં પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ પ્રસન્નતા અભિવ્યક્ત કરી આશીર્વાદ પાઠવ્યા હતા. સાથે આ કેમ્પ નો લાભ લેનાર સમગ્ર દર્દીઓ-જરૂરિયાત મંદ લોકો અને સંતોએ તમામ ડોક્ટરોનો આભાર વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી.

Related posts

Leave a Comment