પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઈનો સમયગાળો ઓગસ્ટ-૨૦૨૧ સુધી લંબાવાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

જિલ્લા તિજોરી કચેરી, ભાવનગર ખાતેથી IRLA સ્કીમ હેઠળ રાજ્ય સરકારનુ પેન્શન મેળવતા પેન્શનરોએ નાણા વિભાગના તા.૨૭/૫/૨૦૨૧ના ઠરાવ મુજબ હયાતીનો સમયગાળો માહે-ઓગસ્ટ-૨૦૨૧ સુધીમા વધારવામા આવેલ છે. તે જે બેંક મારફતે પેન્શન મેળવતા હોય ત્યા તા.૩૧-૮-૨૦૨૧ સુધીમા રૂબરૂ જઈ વાર્ષિક હયાતીની ખરાઈ કરાવી શકશે. અન્યથા માહે સપ્ટેમ્બર-૨૦૨૧ થી નિયમોનુસાર ચુકવણુ સ્થગિત કરવામા આવશે. જેની દરેક પેન્શનરોએ નોંધ લેવી તથા જે પેન્શનરોએ આધાર કાર્ડની નકલ જિલ્લા તિજોરી કચેરી ખાતે રજૂ કરાવવાની બાકી હોય તેમણે જ પોતાના આધાર કાર્ડની નકલ મોકલી આપવા જિલ્લા તિજોરી અધિકારી ભાવનગર દ્વારા જણાવાયું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment