જસદણમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જસદણ

     ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ની સૂચના અનુસાર અને રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરિયા, મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઈ ચાંગેલા ના માર્ગદર્શન હેઠળ આજ રોજ જસદણ શહેરના જીલેશ્વરપાર્ક ખાતે શહેર ભાજપ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપરેલીયા, ઉપપ્રમુખ દીપકભાઈ ગીદા, પૂર્વ ઉપપ્રમુખ પંકજભાઈ ચાંવ, અશોકભાઈ મહેતા, હરેશભાઇ હેરભા, જીજ્ઞેશભાઈ હીરપરા તેમજ શહેર ભાજપના તમામ હોદેદારો અને કોર્પોરેટર હાજર રહેલા.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment