કોરોનાની વૈશ્વિક મહામારીની લડાઈ સહકારની ભાવનાથી જીતીશું – સુમીટોમો કેમિકલ ઈન્ડિયા લિમિટેડના પ્રદિપસિંહ ગોહિલ

હિન્દ ન્યૂઝ, ભાવનગર 

     કોરોનાની વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વને તેની ઝપેટમાં લીધું છે તે વખતે રાજ્ય સરકારની સાથે-સાથે સમાજસેવી સંસ્થાઓ અને સામાજિક દાયિત્વ અદા કરતી કંપનીઓ પણ સરકાર સાથે ‘હમ સાથ-સાથ હૈ’ ની ભાવનાથી આ લડાઈમાં સામેલ થઈ છે.

સુમીટોમો કેમિકલ ઈન્ડિયા લિમિટેડના પ્રદિપસિંહ ગોહિલ, અમિતભાઇ મહેતા, સંજયભાઈ વડોદરિયા, રાજીવભાઈ પંડ્યાએ કંપની વતીથી કોરોનાની સારવાર માટેના ઉપકરણો ખરીદવા માટે રૂ. ૨૦ લાખનો ચેક જિલ્લા કલેકટરને આજે કલેકટર કચેરી ખાતે રૂબરૂ સુપ્રત કર્યો હતો.

તેઓએ આ અંગે વધુમાં ઉમેર્યુ કે, કોરોનાની આ મહામારીમાંથી ઉગરવા માટે અનેક પ્રયાસો સંસ્થાઓ, કંપનીઓ તથા રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જૂની લેપ્રેસી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટેનું સેન્ટર ખોલવામાં આવેલ છે.

તેમાં કોરોનાના દર્દીઓની પૂરતી સારવાર કરી શકાય તથા તેમને પુરતી સગવડ મળે તે માટે અમુક સાધનો તથા ઓક્સિજન ટેન્ક તથા અન્ય ઉપકરણોની જરૂરિયાત હતી. આ ઉપરાંત હોસ્પિટલમાં રિનોવેશનની જરૂરિયાત હતી તેવી જાણ થતાં કોરોનાના આ મુશ્કેલ સમયમાં સામાજિક જવાબદારીના ભાગરૂપે સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ, ભાવનગર દ્વારા આજે ભાવનગર કલેકટરને રૂ. ૨૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કંપનીના ડો. અમિતભાઈ મહેતા, ડો. સંજયભાઈ વડોદરિયા, રાજેન્દ્રસિંહ ઝાલા, શ્રી રાજીવભાઈ પંડ્યા, પરેશભાઈ પાઠક ઉપસ્થિત રહ્યા હતાં.
ગત વર્ષે પણ સામાજિક જવાબદારીના ભાગરૂપે ભાવનગર,કલેકટરશ્રીને રૂ. ૨૦ લાખનો ચેક સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ, ભાવનગર દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો.

કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ આ અવસરે જણાવ્યું કે, કોરોનાની લડાઈમાં રાજ્ય સરકાર સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ અને કંપનીઓ તરફથી સામાજિક જવાબદારીના ભાગરૂપે અનેક પ્રકારની મદદ મળી છે.
ઓક્સિજન કોન્સન્ટ્રેટર, કોરોનાની સારવાર માટેના સાધનો, અન્ય ઉપકરણો વગેરે ખરીદવા માટે સમયે-સમયે અનેક પ્રકારની મદદ સમાજસેવી સંસ્થાઓ અને કંપનીઓ તરફથી મળી છે.
જેનાથી કોરોનાના દર્દીઓની વધુ સારી સેવા કરી શકાઈ છે અને તેના દ્વારા ભાવનગરમાં કોરોનાના સંક્રમણને વધતું અટકાવવા માટે ઘણી મદદ મળી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment