દિયોદર તાલુકાના ખેડૂતોના માટે મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું

 

હિન્દ ન્યૂઝ, દિયોદર

   આમ આદમી પાર્ટીની દિલ્લી સરકારે ગરીબોના હિત નું કામ કરી રહી છે ત્યારે હવે ધીમે ધીમે ગુજરાત માં પણ દિલ્લી મોડલ ને લઈ 2022ની ચૂંટણીની ત્યારી શરૂ કરી છે ત્યારે ગુજરાત ના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીની આગેવાનીમાં દીઓદરના ગ્રામ્ય વિસ્તારના યુવાનોને આમઆદમી પાર્ટી માં જોડાવા આહવાન કર્યું છે ત્યારે તાલુકાના યુવાનો ગત દિવસોમાં સાનાદર ખાતે યોજાયેલી બેઠકમાં આમઆદમી પાર્ટી સાથે જોડાયા હતા અને દિયોદર તાલુકા આમઆદમી પાર્ટી પ્રમુખ પદે મિતેશભાઈ ચૌધરી વરણી થતા તાલુકાના ખેડૂત હિતનું કામ કરવા શુભ શરૂઆત કરતા આજે ખેડૂતોને આ વર્ષે ઘણી આફતો નો સામનો કરવો પડ્યો છે ત્યારે આજે દિયોદર મામલતદાર ને ખેડૂતો ને ઉનાળુ બાજરીના પોષણક્ષમ ભાવ
મળી રહે એના માટે સ્થાનિક ખેડૂતો ને સાથે રાખી તેમજ આમઆદમી પાર્ટી ના પદાધિકારીઓ ને કાર્યકર્તાઓ ને સાથે રાખી દિયોદર તાલુકાના ખેડૂતોને બાજરી અને જુવારના ભાવ મળી રહે તેવી માગણી કરી છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment