દિયોદર ના લુદ્રા ગામ પાસે દિયોદર એસટી બસ ના કર્મી પર હીચકારી હુમલો, હુમલો કરી હુમલા ખોરો ફરાર

હિન્દ ન્યુઝ, દિયોદર

દિયોદર મા આજ સવારે બેનપ સુઇંગામ ના શિવાભાઈ રબારી એસટી બસની ફરજ બજાવી નોકરી પરથી પરત ઘરે પોતાના મોટર સાયકલ પર બેનપ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં લુદરા ગામ પાસે કોઈ અજાણ્યા શખ્સો સ્કોર્પીયો ગાડીમાં આવી બાઇક રોકાવી ધોકા, પાઇપો વડે તૂટી પડ્યા હતા જ્યાં શરીરે ભારે હુમલો થતાં બન્ને હાથ અને પગ પર ભારે ફેક્ચર કરી હુમલા ખોરો હુમલો કરી ફરાર થઈ ગયા હતા. જ્યાં હાઇવે રસ્તામાં કોઈએ ૧૦૮ એમ્બ્યુલન્સ ને જાણ કરાતા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રેફરલ હોસ્પિટલમાં સારવાર આપી વઘુ સારવારની જરૂર હોય ઘાયલ શિવાભાઈ દેસાઈ રહે બેનપ સુઇંગામ વાળાને દિયોદરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. ઘટના સ્થળે દિયોદર પોલીસ દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિયોદર લુદ્રા પાસે એસટી બસ ના કર્મી પર હિચકારી હુમલાનો મુદ્દો દિયોદર બજારમાં ટૉક ઓફ ટાઉન બન્યો હતો ત્યારે હુમલા ખોરો પર લોકોની ફિટકાર વરસી રહી છે. એક નિર્દોષ એસટી બસ ના કર્મી નોકરી કરી ઘર પરત જઈ રહ્યા હોય, ત્યારે હવે આપણે સુરક્ષિત છીએ એ કહેવું બહુ મુશ્કેલ બની રહ્યું છે. કોરોના કાળમાં લોકો નાની નાની વાતોમાં કોઈ નિર્દોષ ના જીવ પર આવી જઈ ગુંડા ગીરદી કરી લોકોમાં ખોફ પેદા કરવા નીકળી પડતા તત્વો સામે કાયદાની કડક અમલવારી હવે જરૂરી બની છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment