વડતાલ મંદિરમાં વયનિવૃત્ત થતા કલેક્ટર આઈ.કે.પટેલ નું બહુમાન

હિન્દ ન્યૂઝ, વડતાલ

ખેડા જીલ્લા કલેક્ટર આઈ. કે. પટેલ ની વય નિવૃત્તિ પુર્વે આસ્થાકેન્દ્ર વડતાલ મંદિરમાં દર્શન કરીને સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા. ચેરમેન દેવપ્રકાશ સ્વામી, ગોવિંદપ્રસાદ સ્વામી મેતપુરવાળા, સુર્યપ્રકાશ સ્વામી સારંગપુરવાળા, પવન સ્વામી કલાલી અને પી પી સ્વામી રામપુરા સુરત મંદિર વગેરે સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા, આ અવસરે વડતાલ મંદિરના મુખ્યકોઠારી ડો સંત સ્વામીએ આઈ.કે.પટેલ ની કોરોના અન્વયેની કામગિરિ બિરદાવીને સાફો પહેરાવીને – શ્રીહરિકૃષ્ણ મહારાજની પ્રતિમા આપીને બહુમાન કર્યુ હતું અને સુદીર્ઘ સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી; એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment