હિન્દ ન્યૂઝ, વિરમગામ
વિરપુર વીડમાં જીવદયા મંડળ દ્વારા અબોલ પશુઓને ઘાસચારો આપવામાં આવ્યો. વિરમગામ શહેર અને તાલુકામાં કોરોના વાયરસ મા જે દર્દીઓના મોત નિપજ્યા હતા. તે તમામ લોકોને શાંતિ અને સદગતિ મળે તે હતુેેથી મહાવીર જીવદયા મંડળ દ્વારા વિરમગામ વિરપુર વીડ કેન્દ્ર ખાતે 2000 થી વધુ આશ્રય લઈ રહેલ કંબોઈ જીવોને ગોળ, ખોળ અને ભુસુ અને 2000 કિલો ફ્રુટ નું નીરણ કરવામાં આવ્યું હતું અને કોરોના ના કારણે અવસાન પામેલ તમામને મોક્ષ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ