હિન્દ ન્યૂઝ, દિયોદર
દિયોદર ગજાનંદ યુવક મંડળ સેવાક્રિય પ્રવુતિ વચ્ચે લોકો ને મદદ રૂપ પણ બને છે. જેમાં દિયોદર ગણપતિ મંદિર માં છેલ્લા ઘણા સમય થી પૂજારી તરીકે સેવા આપતા અશોકગીરી શિવગીરી ગૌસ્વામી નું થોડા દિવસ પહેલા દુઃખદ અવસાન થયું હતું. જેમાં દિયોદર ગજાનંદ યુવક મંડળ દ્વારા સ્વ અશોકગીરી ગૌસ્વામી ના પરિવાર ને અમૂલ્ય રકમ આપી એક સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેમાં પરિવારજનો દ્વારા પણ આવી પરિસ્થિતિ વચ્ચે મદદ રૂપ થવા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. દિયોદર ગણપતિ મંદિર ખાતે ઘણા સમય થી અશોકગીરી ગૌસ્વામી પૂજારી તરીકે હતા તેમનું થોડા સમય પહેલા દુઃખદ અવસાન થયું હતું જેમાં ગજાનંદ યુવક મંડળ ના સભ્યો એ આર્થિક મદદ કરી છે અને રોકડ રકમ આપી પરિવારજનો ની હિંમત વધારી હતી અને શ્રધાંજલિ પાઠવી હતી.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર