હિન્દ ન્યૂઝ, દિયોદર
કોરોનાની મહામારી મા અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે પાલનપુર એસટી ડેપોના ૧૫ જેટલા ડ્રાઈવર કંડકટર કર્મચારીઓએ કોરોનાની મહામારી વચ્ચે પોતાની ફરજ બજાવતા પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે આજરોજ દિયોદર એસ.ટી.ડેપો દ્વારા આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ગુજરાત સરકાર દ્વારા ૨૫ લાખની આર્થિક સહાય કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેથી આ આર્થિક સહાય નો લાભ તેમના પરિવારજનોને મળી રહે તે હેતુસર દિયોદર એસ.ટી ડેપો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમ માં અશોકભાઈ પરમાર, કર્મચારી મંડળ, યુનિયન મંત્રી દિયોદર, એલ ડી વાઘેલા, મહેશકુમાર સોલંકી, ભારતીય મજ્દુર સંઘ પ્રદેશ ઉપપ્રમુખ, એસ.ટી. ગમનભાઈ દેસાઈ, મજૂર મહા સંઘ કર્મચારી ઓ સાથે દિયોદર એસ ટી ડેપો ના ડ્રાઈવર, કંડક્ટર ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર