વાંકાનેરના સરતાનપરમાં વેપારી પાસે ખરાબાનું ભાડુ માંગી મારામારી

આઠ શખ્સોએ વેપારી ઉપર હુમલો કરી ઓફિસમાં તોડફોડ કરીને આંતક મચાવ્યો

હિન્દ ન્યૂઝ, વાંકાનેર

   વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં આવેલી ખરાબાની જમીનનો ઉપયોગ કરવા મામલે એ જગ્યાનું ભાડું માંગતા ડખ્ખો થયો હતો અને ઉશ્કેરાયેલા આઠ શખ્સોના ટોળાએ હાર્ડવેરની દુકાનમાં મારમારી અને તોડફોડ કરીને ધમાલ મચાવી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મનીષભાઇ નરશીભાઇ ભોજાણી (ઉ.વ ૩૫, ધંધો- વેપાર રહે- રવાપર રોડ ચીત્રકુટ-૨ હનુમાન મંદિરની બાજુમાં , રામબંધન એપાર્ટમેન્ટ બ્લોક નં૧૦૧, મોરબી) એ આરોપીઓ ગોરધનભાઇ જેશીંગભાઇ, જેશીંગભાઇ (રહે બંને- સરતાનપર તા. વાંકાનેર) તથા અન્ય પાંચ પુરૂષો અને એક મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા. ૧૪ ના રોજ બપોરના આશરે સાડા બાર વાગ્યાના અરસામાં બનેલા બનાવમાં ફરીયાદી વાંકાનેરના સરતાનપર રોડ ઉપર પોતાની વેપારની જગ્યા સામે આવેલ સરતાનપર ગામની સીમના ખરાબાની જગ્યામાં કોઇ ગંદકી ન થાય તે માટે સાફ સફાઇ કરી વપરાશ કરે છે.

બ્યુરોચીફ (મોરબી) : ખોડાભાઇ પાચીયા

Related posts

Leave a Comment