થરાદ તાલુકાના લવાણા કળશ ગામમાં અખાત્રીજ ના પાવન પર્વે ભૂદેવો એ યજ્ઞ કર્યો

બનાસકાંઠા જિલ્લા નાં થરાદ તાલુકાના લવાણા કળશ ગામમાં આજે અખાત્રીજ ના પાવન પર્વે કલેશહર માતાજી ના ધામે ભૂદેવો એ યજ્ઞ કર્યો હતો. જેમા હાલ ચાલી રહેલા કોરોના વાયરસ રોગચાળા ને નાથવા માતાજી ને યજ્ઞ રૂપી આહુતી આપી માતાજી ને પ્રાર્થના કરવામાં આવી હતી જેમા યજ્ઞ ના આચાર્ય દીનેસભાઈ દવે, નરસી એચ.દવે તેમજ વિષ્ણુ દવે ભુદેવ એ માતાજી ને પ્રાર્થના કરી કે “માતાજી કોરોના નામ ના દૈત્ય ને તે જ નેસ્તનાબૂદ કરો અને લોકો ની સુખાકારી તેમજ આરોગ્ય સારૂ રહે તેવી પ્રાર્થના કરી હતી.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment