દિયોદર માં 80 વર્ષ ના માજી એ 14 દિવસે કોરોના ને હરાવ્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર

    દિયોદર કોવિડ 19 કેર સેન્ટર માં વધુ એક 80 વર્ષ ના માજી એ કોરોના ને હરાવ્યો છે. છેલ્લા 14 દિવસ થી સારવાર લેતા માજી સ્વસ્ત થતા આજે રજા આપવામાં આવી હતી. દિયોદર તાલુકા ના વડીયા ગામે રહેતા મરઘાંબેન માનાજી માળી જેમને કોરોના ની અસર થતા દિયોદર રેફરેલ કોવિડ 19 કેર સેન્ટર માં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમાં છેલ્લા 14 દિવસ થી આ 80 વર્ષ ના માજી સારવાર લઈ રહ્યા હતા જેમાં 14 દિવસ બાદ કોરોના ને હરાવી રજા મેળવતા પરિવારજનો દ્વારા આરોગ્ય વિભાગ, ડોકટર ટીમ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment