હિન્દ ન્યૂઝ, દિયોદર
સમગ્ર રાજ્યમાં કોરોના કહેર યથાવત છે, ત્યારે કોરોના ની બીજી ઘાતક લહેર થી હાહાકાર મચ્યો છે. ત્યારે દિયોદર મા રેફરલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ માટે દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા કોરોના ના ગંભીર દર્દીઓ માટે આરોગ્ય કીટ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં 16 જેટલી મેડિકલ કીટ નું દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા વિતરણ કરવામાં આવી છે.
મહત્વનું છે કે દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા કોરોના ના દર્દીઓ માટે ૧૬ આરોગ્ય કીટ આપવામાં આવી હતી, સાથે ભારત વિકાસ પરિષદ સેવાકીય સંસ્થાને તરફથી 200 જેટલી કીટ સાંજ સુધીમાં આપવાનું જણાવ્યું છે તો 10 જેટલા ઓક્સિજન ના બાટલા ના દાતા હરેશભાઈ ખત્રી દ્વારા આપવામાં આવ્યા છે. તો ભારત વિકાસ પરિષદ પ્રમુખ જમાભાઇ પટેલ, ભરત ભાઈ અખાણી, વાત્સલ્ય સ્કૂલ સંકુલના ટ્રસ્ટી દર્શન ભાઈ ઠક્કર, અમરત ભાઈ ભાટી, તાલુકા પંચાયત સદસ્ય સેવંતીલાલ ઠક્કર, રમેશ ભાઈ સોની, ચેતન ભાઈ શાહ ઉપસ્થિતિમાં દિયોદર રેફરલ હોસ્પિટલ ના કોવિડ દર્દીઓ ને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર