સેવા નું કાર્ય, દિયોદર વિવિધ કચેરી માં કોરોના સામે રક્ષણ મેળવવા માટે ઉકાળા નું વિતરણ

હિન્દ ન્યૂઝ, દિયોદર

બનાસકાંઠા જિલ્લા ની સાથે દિયોદર પથક માં પણ કોરોના વાઈરસ ની ગંભીર મહામારી ચાલી રહી છે. જેમાં દિન પ્રતિદિન કેસો સામે આવી રહ્યા છે જેમાં ગત દિવસે પણ કોરોના વોરિયસ તરીકે સેવા આપતા 6 પોલીસ કર્મી ને પણ કોરોના પોઝીટીવ થતા કોરોના નું સંકટ વધ્યું છે. જેમાં કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા માટે આજે દિયોદર ના સેવાભાવી પ્રદીપભાઈ શાહ અને નરેશભાઈ પંચાલ લાયન્સ કલબ પરિવાર દ્વારા કોરોના વોરિયસ ને ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં દિયોદર પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન જેવી વિવિધ કચેરી માં કોરોના સામે રક્ષણ મેળવવા માટે ઉકાળા નું વિતરણ કર્યું હતું. જેમાં દિયોદર તાલુકા ના સરપંચો એ પણ ઉકાળો પીને કોરોના વાઈરસ સામે સાવચેતી રાખવા અપીલ કરી હતી.

અહેવાલ : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment