હિન્દ ન્યૂઝ, ડભોઇ
આજરોજ ડભોઇ નવપદ સાર્વજનિક હાઇસ્કૂલના સંકુલમાં સંસ્થાને ઊભી કરી તેનો હરણફાળ વિકાસ માં મુખ્ય ફાળો એવા પ્રવિણભાઈ નગીનભાઈ શાહ કે જેઓ તારીખ ૧૩/૦૪/૨૧ના રોજ અરિહંત શરણ થયા હતા. જેથી આજરોજ શાળાના સંકુલમાં તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શાળાના ટ્રસ્ટી મંડળના આગેવાનો તેમજ સમાજના આગેવાનો સૌ ઉપસ્થિત રહી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સમગ્ર સભા નવપદ હાઈસ્કૂલના પરિવાર તરફથી “આદર્શ શિક્ષણ રત્ન” પણ તેઓને આપવામાં આવ્યું હતું. આચાર્ય મહારાજ દ્વારા આશીર્વાદ વચન આપી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રદ્ધાંજલિ દરમિયાન સૌ સભ્યોની અશ્રુભીની થઇ હતી. પ્રવીણભાઈ શાહ દ્વારા હર હંમેશ શાળાનું હિત જોવામાં આવતું હતું. તેઓ નિઃસ્વાર્થ પણે સેવા આપી તેમના 30 વર્ષ સુધીના કાર્યકાળ દરમિયાન દરેક સમયે તત્પર રહી ને સંસ્થાનો હરણફાળ વિકાસ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. અને સૌ ટ્રસ્ટી મંડળે તેમનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેમના દ્વારા આ સંસ્થા સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ પ્રાર્થના સમયે તેમના પરિવારજનો પણ ઉપસ્થિત રહી નવપદ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઇ