જામનગર ખાતે યોજાનાર આર્મી ભરતી-૨૦૨૧ની લેખિત પરીક્ષા કોરોનાના સંક્રમણને કારણે મોકુફ રખાઈ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

દેવભૂમિ દ્રારકા ખાતે યોજાયેલ આર્મી ભરતી રેલી-૨૦૨૧માં પાસ થયેલ ઉમેદવારોમાટે આર્મી ભરતીની લેખિત પરીક્ષા ૨૫-૦૪-૨૦૨૧ના રોજ શ્રી સત્યસાઈ વિધાલય જામનગર ખાતે યોજવાની હતી. કોરોનાના સંક્રમણના કારણે આ લેખિત પરીક્ષા મોકુફ રાખવામાં આવેલ છે. આ પરીક્ષા અંગેની નવી તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. જેની સૌરાષ્ટ્ર અને કચ્છના ઉમેદવારોને નોંધ લેવા જિલ્લા રોજગાર અધિકારી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે. 

Related posts

Leave a Comment