હિન્દ ન્યૂઝ, વેરાવળ
તા.12/04/2021 ના હિન્દુ યુવા સંગઠન ના જિલ્લા અધ્યક્ષ જતીન બાપુ રવિ નો આમરણાંત અનશન નો 10 મો દિવસ હોય તેમ છતાં કોઈ સતા પક્ષ ના નેતા ઓ એ આ છાવણી ની મુલાકાત પણ લીધી નથી. ત્યારે વેરાવળ ના એક યુવાન યોગેશ પ્રવીણ ભાઇ રૂપારેલ જેમની 3 નળી ઓ બ્લોક હોય. જેમનું હૃદય 15% જ કામ કરતું હોય. તેવા ઉત્સાહી અને ધર્મ પ્રત્યે ની લાગણી ધરાવતા આવા યુવાન આગળ આવતા હોય અને આજે એક દિવસ નો પ્રતીક ઉપવાસ કરી જતીન બાપુ ને સમર્થન આપે છે. તો સમાજ ના આગેવાનો કેમ આગળ નથી આવતા ? એ એક ચર્ચા નો વિષય બની ગયો છે. જે લોકો એ ગૌ માતા અને ધર્મ ના નામે મત માંગી ને સત્તા પર આવતા ની સાથે જ બધું જ ભૂલી ને ખુરશી પ્રત્યે પ્રેમ દેખાડી રહ્યા છે. તેવા નેતા ઓ ને આગવો સમય એનો રંગ જરૂર દેખાડશે એવું યોગેશ ભાઈ નું કહેવું છે. ઘણા બધા સમાજ, સોસાયટી, તેમજ સંગઠનો, ગ્રુપો એ જતીન બાપુ ને લેખિત મા પણ સમર્થન આપ્યું છે. છતાંય રાજકારણી ઓ ને કોઈ ફરક જ ના પડતો હોય તેમ પોતાની સત્તા ના રાજ મા મદ મસ્ત રહે છે.
સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા