જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મર્યાદિત સંખ્યામાં વર્ષોજૂના પરંપરા જાળવી રાખી

હિન્દ ન્યૂઝ, ડાકોર

આજે ફાગણી પૂનમના દિવસે ડાકોરના ઠાકોર રાજા રણછોડરાયજી નિત્ય સેવા પૂજા સમય અનુસાર કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે કોરોના મહામારી ના કારણે મંદિર પ્રશાસન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડાકોર ખાતે યોજાનાર ફાગણી પૂનમના મેળાનો કાર્યક્રમ મોકૂફ રખાયો હતો. તેના અનુસંધાને ચાલુ સાલે ડાકોર ના મંદિર ના દરવાજાઓ શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવામાં આવેલ હતા. પરંતુ શ્રદ્ધાળુઓને અને દર્શનનો લાભ મળે તે માટે ખાનગી ચેનલ દ્વારા ડાકોર ની આરતી તેમજ દર્શનનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા મંદિર પરિસરઅને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

આજે સવારે 6:15 કલાકે રાજા રણછોડ રાય ની આરતી કરવામાં આવી હતી ત્યાર બાદ વર્ષોથી ચાલી આવતા પરંપરાને જીવંત રાખવા જિલ્લા વહીવટીતંત્રને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની કાર્ય મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવી મંદિરમાં પૂજા વિધિ તથા ધજા ચડાવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ફાગણી પૂનમ ના દર્શનાથે આવતા શ્રદ્ધાળુઓ અને કોરોનાની મહામારી ના કારણે રૂબરૂ નહીં આવી ઘરે બેઠા જ ખાનગી ચેનલના માધ્યમથી દર્શનનો લ્હાવો લેવા અપીલ કરવામાં આવી હતી. જેને આમ જનતા એ બહોળા પ્રમાણમાં સ્વીકારી છે તેનો આનંદ છે. મંદિરમાં ત્રણેય દિવસ મંદિરના નિજ સેવકો દ્વારા ભગવાનની સેવા-પૂજા કરવામાં આવશે. આજે ખૂબ જ મર્યાદિત સંખ્યામાં ધજા રોહણ ની કામગીરી સંપન્ન કરવામાં આવી છે. આજે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે કે પ્રભુ કોરોનાની મહામારી માંથી પ્રજાજનોને મુક્તિ અપાવે અને નાગરિકોને સુખ-સમૃદ્ધિમાં વધારો થાય. પ્રજાને સુખ સુવિધા અને આરોગ્ય માટે જિલ્લા વહીવટી તંત્ર અથાગ પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે જિલ્લા ના નાગરિકોને તેઓએ અપીલ કરી હતી કે રાજ્ય અને કેન્દ્ર સરકારના કોરોનાની મહામારી થી બચવાના નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને પોતે તથા પોતાના પરિવારની સુરક્ષા અર્પે. આ પ્રસંગે રેન્જ આઈ.જી વી.ચંદ્રશેખર, (આઈ. પી. એસ ), નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા, જિલ્લા પોલીસ વડા દિવ્યા મિશ્રા, મામલતદાર, મંદિર પરિષદના મેનેજર અરવિંદભાઈ મહેતા, જગદીશભાઈ દવે, પુજારી વિષ્ણુભાઈ સહિત અન્ય મંદિર ના સેવકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment