હિન્દ ન્યૂઝ, થાનગઢ
થાનગઢ પાંજરાપોળ માં આશ્રય લેતા અબોલ પશુઓ માટે દર માસની અગિયારસ નિમિત્તે જીવ દયા ગ્રુપના સભ્યો દ્વારા નગરની વિવિધ બજારોમાં જોળી ફેરવવામાં આવે છે. ત્યારે પશુઓના નિભાવ માટે આર્થિક ફંડ એકત્રિત કરવા થાનગઢ પાંજરાપોળના જીવ દયા ગ્રુપના સભ્યોએ શહેરની વિવિધ બજારોમાં ફરતા શહેરના નાના-મોટા સૌ કોઈ વેપારીઓએ પશુ નિભાવ સહકાર આપ્યો હતો. ત્યારે શહેરમાંથી રૂ. 55,000 (પંચાવન હજાર) જેટલું દાન એકત્રિત કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટ : જયેશભાઈ મોરી, થાનગઢ