રાજકોટ,
રાજકોટ શહેર તા.૨૨.૪.૨૦૨૦ ના રોજ શાકભાજી વેંચતા ૨૧૯ ફેરિયાઓના સ્વાસ્થ્યનું થર્મલ સ્કેનિંગ કરાયું. રાજકોટ શહેર માં શાકભાજી વેચતા ફેરિયાઓ કોઈપણ જાતના ડર વગર શેરીએ ને ગલીયે શાકભાજી વેચતા હોય છે. તે લોકો સાથે સંકળાયેલા લોકોને કોઈપણ વ્યક્તિને ચેપ લાગુ ના પડે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શાકભાજી વેચતા ફેરિયાઓને સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. એક પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. હાલમાં પ્રક્રિયા ચાલુ જ રહેશે કોઈ ને પણ વધુ નિદાન કે સારવારની આવશ્યકતા ન જણાઈ. તેમણે વધુમાં કહ્યું કે, થર્મલ સ્કેનીંગ કરવામાં આવ્યું તેવા ૨૧૯ ફેરિયાઓ પૈકી કોઈને પણ વધુ નિદાન કે સારવારની જરૂર જણાઈ નથી. માટે તેમને સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ નથી.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ