મોટામિયાં માંગરોળની ગાદી સાથે સંકળાયેલી કડીની ગાદીની ઉર્સ કોરોના મહામારીને લઇ મોકૂફ 

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

         કોમી એકતાના પ્રતિક સમાન, ઘેર ઘેર ગાયો પાળો, વૃક્ષ વાવો, વ્યસન મુક્તિ, તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવોનો સંદેશો આપતી ઐતિહાસિક મોટામિયા માંગરોળની ગાદી સાથે સંકળાયેલી અને કડી મુકામે આવેલી ખ્વાજા બદરુદ્દીન ચિશ્તીની દરગાહ કે જ્યાં દર વર્ષે પરંપરા મુજબ ધુળેટીના દિવસે ઉર્સ ઉજવવામાં આવે છે. જેમા હિન્દુ – મુસ્લિમ દરેક ધર્મના અનુયાયીઓ ખૂબ મોટી સંખ્યામા હાજરી આપે છે. અહીં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આ પ્રસંગે મોટામિયાં માંગરોળની ગાદીના અધિકૃત ગાદી પતિ હઝરત સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી દ્વારા સંદલ શરીફની વિધિ કરવામાં આવે છે. તથા તેઓના સુપુત્ર- અનુગામી ડોકટર પીર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી પણ હાજર રહે છે. આ વર્ષે તારીખ 29 – 03- 20 21 સોમવારના રોજ યોજાનાર ઉર્સની ઉજવણીના તમામ કાર્યક્રમો જનહિત માટે મોકૂફ રાખવામાં આવ્યા છે, એમ મોટામિયાં માંગરોળની અધિકૃત ગાદીના ગાદીપતિ હઝરત સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી દ્વારા જણાવવામાં આવ્યું છે. આ દિવસનો મહિમા હોય દરેક પોત પોતાના ઘરે જ રહી અભ્યર્થના કરે. આ સિવાય પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા, સમૂહમાં ભેગા ન થવા અને સરકારની ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરી, સલામતી જાળવી વહીવટી તંત્રને સહકાર આપવા હાકલ કરી છે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment