વસીમ રિઝવીની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે યંગ એકતા ફાઉન્ડેશનના નેજા હેઠળ માંગરોળનાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, માંગરોળ 

વસીમ રિઝવી તરફથી ઇસ્લામ ધર્મનાં પવિત્ર કુરાન શરીફમાંથી 26 જેટલી આયતો હટાવવા પ્રશ્ને એક વિવાદી નિવેદન કરી. દેશમાં અરાજકતા અને કોમી રમખાણો ફાટી નીકળે એ પ્રકારનું નિવેદન આપ્યું છે. જેથી એનાં વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી એની ધરપકડ કરવામાં આવે એવી માંગ સાથે આજે તારીખ 15 નાં માંગરોળનાં મામલતદાર ડી.કે. વસાવાને એક આવેદનપત્ર યંગ એકતા ફાઉન્ડેશનના પ્રમુખ કુતુબુંદીન હાફેજીના નેતૃત્વમાં આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ગત તારીખ 11 મી માર્ચના નામદાર સુપ્રીમ કોર્ટમાં વસીમ રિઝવી એ એક IPL દાખલ કરી છે. એમાં જણાવ્યું છે કે મુસ્લિમ સમાજનાં ધાર્મિક ગ્રંથ કુરઆન શરીફમાં 26 આયતો (શ્લોક) આતંકવાદ અને ઉગ્રવાદને પ્રોત્સાહીટ કરે છે. આ વાત તદ્દન જુઠી અને વાહીયાત વાત છે એમણે દેશનાં લોકોમાં નફરત ફેલાલાવવાનું તથા ઇસ્લામ ધર્મ અને કુરાન શરીફ વિશેની ખરાબ છબી ઉભી કરવા આ કૃત્ય કરવામાં આવેલું છે. આ વ્યક્તિ સામે FIR દાખલ કરી, એની ધરપકડ કરવામાં આવે એવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકાનાં મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment