વેરાવળ ખાતે દર્દીઓને વિનામૂલ્યે નેત્રમણી આરોપણ કેમ્પ સફળ રહ્યો

હિન્દ ન્યૂઝ, વેરાવળ

          શ્રી રણછોડ દાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ તથા નૂરાની સાર્વજનિક હોસ્પિટલ કૌશર કોલોની મેઈન રોડ, વેરાવળ દ્વારા વિનામૂલ્યે નેત્રમણી આરોપણ કેમ્પનો તા. ૧૪-૦૩-૨૦૨૧ ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી રાખવામાં આવેલ જેમાં ૩૫ દર્દીઓએ ભાગ લીધેલ છે.

       આ કેમ્પમાં આવેલા દર્દીઓને વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રાલય રાજકોટ ખાતે તેમની બસમાં લઈ જવામાં આવશે અને જરૂરતમંદ લોકોને શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે તેમની પોતાની બસમાં લઈ જઈ મોતિયાના ટાકા વગરના ઓપરેશન ફેકો મશીન દ્વારા કરવામાં આવશે અને Soft fortable Lens નેત્રમણી બેસાડવામાં આવશે.

          આ દર્દીઓને રહેવા,જમવા, ચા-પાણી, નાસ્તો, દવા, ટીપા, ચશ્મા આ સવૅ સુવિધાઓ સંસ્થા તરફથી ઉપલબ્ધ કરી આપવામાં આવશે અને ઓપરેશન થઈ ગયા પછી દર્દીઓને ફરી તેમની બસ દ્વારા વેરાવળ ખાતે મૂકી જવામાં આવશે.

          આ કેમ્પમાં ડોક્ટર મુકેશ ભાઈ ચગ, નૂરાની હોસ્પિટલ તથા શ્રી રણછોડદાસ બાપુ હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા ખુબજ સરસ સેવા આપવામાં આવેલ હતી.

        આ કેમ્પને સફળ બનાવવા મા નુરાની હોસ્પિટલ ના પ્રમુખ ફારૂક મલિક પેરેડાઇઝ, યુસુફભાઈ ફિઝા, આશિફ ખાન, મહમદ હુશેન ભાઇ મુગલ તેમજ અન્યો એ ખૂબજ જહેમત ઉઠાવેલ અને આ કેમ્પને સફળ બનાવેલ.

રિપોર્ટર : મો. સઈદ મહિડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment