આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સોમનાથમાં તા. ૧૨ માર્ચના રોજ દેશભક્તિસભર કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

          તા.૧૦, ભારતની સ્વતંત્રતા આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસર આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ તા. ૧૨ માર્ચના રોજ સાબરમતી આશ્રમ અમદાવાદથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કરાવશે. જેના ભાગરૂપે સોમનાથ ખાતે આઝાદી માટે સ્વતંત્રતા માટે કુરબાની આપનાર વીરો દેશની પ્રગતિ માટે યોગદાન આપનાર લોકોની સ્મૃતિ ચીરંજીવી રાખી તેમને યાદ કરવા કાર્યક્રમ યોજાશે.

        દેશભક્તિસભર કાર્યક્રમ સોમનાથ મંદિરના પરિસરમાં તા.૧૨ માર્ચના રોજ સવારે ૧૦.૦૦ કલાકે યોજાશે. મહાત્મા ગાંધીજીના ભજનાવલીના ભજનો, દેશભક્તિ ગીત સહિતના કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. આ તકે સવારે ૧૦:૩૦ થી ૧૧ કલાક દરમિયાન સાબરમતી આશ્રમ ખાતેથી વડાપ્રધાન શ્રીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામા આવશે.

Related posts

Leave a Comment