હિન્દ ન્યૂઝ, ઉમરપાડા
ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિએ સસ્તા અનાજની દુકાનો ઉપર કાયદાનો અમલ કરાવવા ઉમરપાડાનાં મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. તાલુકા કોંગ્રેસના પ્રમુખ હરેશભાઇ વસાવાનાં નેતૃત્વમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સસ્તા અનાજની દુકાનો પર ચીજ વસ્તુઓના ભાવોનું બોર્ડ પણ લગાવવામાં આવતું નથી. અનાજની કુપન કઢાવાનાં 10 રૂપિયા લેવામાં આવે છે. કુપન કઢાવવા પાંચ કી.મી. સુધીનું ભાડું ખર્ચવું પડે છે. જે બંધ થવું જોઈએ એવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે.
રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)