ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓની સહાય મેળવવા તારીખ ૩૦ એપ્રિલ સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ રહેશે

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

           ખાતેદાર ખેડૂતો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા તારીખ ૩૦/૦૪/૨૦૨૧ સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ખેડૂતમિત્રો ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓમાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી દરેક ગ્રામ પંચાયત ખાતે તથા ઈન્ટરનેટની સુવિધા ધરાવતી અન્ય જગ્યાએથી પણ કરી શકે છે. અરજી કરતી વખતે ૭/૧૨ અને ૮-અ, આધારકાર્ડ, મોબાઈલ નંબર તેમજ બેંક પાસબુકની વિગત વગેરે સાથે રાખવી જરૂરી છે. ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ (i-khedut portal) પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટઆઉટ મેળવી સહી/અંગૂઠો કરી જરૂરી સાધનિક કાગળો સાથે ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી(ખેતી)ને પહોંચાડવી. આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા.૩૦ એપ્રિલ છે. જેથી રસ ધરાવતાં જિલ્લાના તમામ ખેડૂતોમિત્રોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓમાં લાભ લેવા માટે સમયમર્યાદામાં અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવાયું છે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment