હિન્દ ન્યૂઝ, થાનગઢ
આજ રોજ શ્રી સરસ્વતી વિદ્યામંદિર થાનગઢ ના બાળકોને ‘થાનગઢ આરોગ્ય ટીમ’ દ્વારા ‘કૃમિમુક્ત બાળક’ બને માટે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ સરકાર ના માર્ગદર્શન મુજબ નું SOP ચુસ્ત પાલન કરવામાં આવે તેમજ કોરોના વાયરસ થી કેમ બચી શકાય તેનું પણ આરોગ્ય ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. કૃમિ મુક્ત બાળક, તંદુરસ્ત બાળક બને તેવું અભિયાન થાનગઢ આરોગ્ય ટીમ દ્વારા તથા સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ દ્વારા સફળ બનાવવામાં આવ્યું.
રિપોર્ટ : જયેશ મોરી, થાનગઢ