ખંભાળિયા તાલુકાના સલાયા માંથી રામ ભકતો દ્રારા એકત્રિત કરેલ નિધિ શ્રી રામ મંદિર નિર્માણ માટે અર્પણ કરેલ

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા 

              આજરોજ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ કાર્ય માટે નિધિ સમર્પણ કાર્યક્રમ અંતર્ગત ખંભાળિયા તાલુકાના સલાયા માંથી રામ ભકતો દ્રારા એકત્રિત કરેલ રૂપિયા ૧૭,૮૦૦/- રોકડા નિધિ લાલજીભાઈ ભુવા (સલયા શહેર ભાજપ મહામંત્રી) તથા પ્રવીણ ગીરી ગોસ્વામી, પ્રતાપ ગીરી‌ ગોસ્વામી, અશોકપુરી ગોસ્વામી, અશોકભાઈ બારોટ દિલીપભાઈ પીઠડીયા, દિવ્યેશ પરી ગોસ્વામી તથા બજરંગદળ ના ખંભાળિયા શહેર પૂર્વ સંયોજક અભયભાઈ પંચમતિયા દ્રારા ‌અપૅણ કરેલ છે. આ કાર્યક્રમ માં જીલ્લા સંયોજક પ્રવિણસિંહ કંચવા તથા કાર્યાલય પ્રમુખ પ્રફુલભાઈ હર્ષ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ખંભાળિયા ના સહ બૌધ્ધિક પ્રમુખ અવિનાશભાઈ પંડીત, વિશ્વ હિન્દુ પરિષદ ખંભાળિયા ના તાલુકા અધ્યક્ષ મહેશભાઈ બારોટ વિ. ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : પિયુષ વિઠલાણી, જામ ખંભાળિયા 

 

Related posts

Leave a Comment