જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧, તા. ૨૮ મી ફેબ્રુઆરીએ સમગ્ર નર્મદા જિલ્લો પણ કરશે અચુક મતદાન

હિન્દ ન્યૂઝ, રાજપીપલા,

આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ અન્વયે નર્મદા જિલ્લાની જનતા વધુમાં વધુ મહત્તમ મતદાન કરે તેવા હેતુસર જનજાગૃત્તિ કેળવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહનાં માર્ગદર્શન હેઠળ રાજપીપલા ખાતે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી મતદાર જાગૃત્તિ રેલીને જિલ્લા શિક્ષણાધિકારી જ્યેશભાઇ પટેલે રાજપીપલા જિલ્લા ન્યાયાલય ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. મતદાર જાગૃત્તિનાં બેનર્સ સાથેની આ રેલી જિલ્લા ન્યાયાલયથી સ્ટેશન રોડ, સફેદ ટાવર થઇને સરદાર ટાઉનહોલ ખાતે પહોંચીને રેલીનું સમાપન થયું હતું.

જિલ્લા શિક્ષણ નિરીક્ષક બી.ડી.વસાવા, જિલ્લા મદદનીશ શિક્ષ્ણ નિરીક્ષક એમ.એમ.પરમાર તેમજ રાજપીપલાની અંબુભાઇ પુરાણી, કન્યા વિનય મંદિર, નવદૂર્ગા હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ, NSS ના છાત્રો સહિત શિક્ષકો આ રેલીનાં સ્વરૂપમાં જિલ્લા ન્યાયાલય ખાતેથી આગળ વધીને સ્ટેશન રોડ, સફેદ રોડ થઇને સરદાર ટાઉનહોલ સુધી મતદાર જાગૃત્તિનાં બેનર્સ-પ્લેકાર્ડ સાથે મતદારોને તેમનાં કિમતી મતની અગત્યતા સાથે તા. ૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ તમામ મતદારોને મતદાનમાં અચૂક ભાગ લેવાનો સંદેશો આપ્યો હતો.

મતદાર જાગૃત્તિ રેલીમાં “મતદાન – મહાદાન”, “મત આપો દેશ બચાવો“, ૧૮ વર્ષની કરી ઉંમર પાર, હવે મળ્યો મતનો અધિકાર, ચાલો આપણે કરીએ મતદાન”, “Vote For a Better India“, “જન જન યહી પુકાર, વોટ ડાલો અબકી બાર”, “લોકશાહીની નમ્ર અરજ, મતદાન એ પવિત્ર ફરજ”, “આપકા મતદાન લોકતંત્રકી જાન”, “છોડો અપને સારે કામ, પહલે ચલો કરે મતદાન”, “મારો મત મારી સરકાર”, “એક વોટ સે હોતી જીત-હાર-ઇસલીયે કોઇ વોટ ન હો બેકાર”, “વોટ હમારા હૈ અધિકાર-કરે નહીં ઇસકો બેકાર”, “લોકોતંત્ર કા પર્વ મનાયેંગે-વોટ ડાલને જરૂર જાયેંગે”, “છોડો આપના બધા કામ-ચાલો કરીએ પહેલા મતદાન”, “તમારો મત લોકતંત્રની જાન”, “મતદાનનું મૂલ્ય સમજીએ-મતદાનની તક ના ગુમાવીએ”, “યુવાઓનું મતદાન એ લોકશાહીની શાન છે”, “લોકશાહી કરે પોકાર-મતદાન કરો કરી વિચાર”, “અમને મળ્યો છે મતઅધિકાર-અમે લાવીશું અમારી સરકાર” વગેરે જેવા બેનર્સ-પ્લેકાર્ડ સાથેની આ રેલીએ નગરજનોમાં અચૂક મતદાન કરવાનો સંદેશો ગુંજતો કર્યો હતો અને તા.૨૮ મી ફેબ્રુઆરી ના રોજ નર્મદા જિલ્લો પણ અચૂક મતદાન કરશે તેવો સંદેશો આપ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી જ્યેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, આગામી તા. ૨૮ મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી અન્વયે આજે જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ NSS યુનિટ્ના છાત્રોના માધ્યમથી મતદારોમાં મતદાનની જાગૃત્તિ આવે તેમજ જે મતદાતાઓ છે તે મતદાન કરી શકે એવી વય ધરાવે છે, તે તમામમાં એક જાગૃત્તિ આવે અને તમામ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવા શુભ આશય સાથે તેમજ આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓમાં વધુમાં વધુ મહત્તમ મતદાન થાય તેવા હેતુથી રાજપીપલા ન્યાયાલયથી લઇને શહેરના મુખ્યમાર્ગો પરથી પસાર થઇને સરદાર ટાઉન હોલ સુધી મતદાન જાગૃત્તિ રેલી યોજાઇ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા

Related posts

Leave a Comment