જૂનાગઢ જિલ્લાના માળીયા (હાટીના) તાલુકાના ભંડુરી મુકામે એક વિશાળ જાહેર સભાનું આયોજન

હિન્દ ન્યૂઝ, માણાવદર

       તારીખ 18 ના રોજ જૂનાગઢ જિલ્લાના માળીયા (હાટીના) તાલુકાના ભંડુરી મુકામે એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જંતરમંતર ઉપર રાષ્ટ્ર હિતની ૨ મહત્વની માંગ સાથે બેઠેલા આહિર અર્જુનભાઈ આંબલીયા ના સમર્થનમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહિર એકતા મંચ ગુજરાતના પ્રમુખ રાજુભાઇ બોરખતરીયા, જન અધિકાર મંચ ના પ્રમુખ પ્રવીણભાઈ રામ, માંગરોળ થી ગોવિંદભાઈ ચોચા, જામનગર થી સંજયભાઈ ચેતરીયા આહિર, એકતા મંચ સલાહકાર સમિતિના પ્રમુખ ખંભાત અતુલભાઇ ગરણીયા, આહિર એકતા મંચ જૂનાગઢ જિલ્લાના હોદ્દેદાર તેમજ માણાવદર, માંગરોળ, કેશોદ બધા જ તાલુકાના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

           આ તકે મહાનુભાવોએ ગૌમાતાને રાષ્ટ્રમાતાનું બિરુદ મળે અને સૈન્યની અંદર આહીર રેજીમેન્ટ નિર્માણ થાય આ બે મુદ્દાઓ પર જબરદસ્ત ડિબેટ કરવામાં આવી હતી. આ તકે જન અધિકાર મંચ ના પ્રમુખ પ્રવીણ રામે આવનારા સમયમાં સરકાર આ વાતને વહેલી તકે સ્વીકારે અને યોગ્ય જવાબ આપવામાં આવે એ બાબતે હાકલ કરી આ કાર્યક્રમને માળીયા આહિર એકતા મંચ ની ટીમ અને સમસ્ત ભંડુરી ગામ દ્વારા આયોજિત કરવામાં આવ્યું. આ કાર્યક્રમની અંદર દરેકે દરેક સમાજના લોકો અને આસપાસની દરેક દર્દ ગૌશાળાના લોકો જોડાયા હતા. નિવૃત્ત આર્મી જવાનો પણ આ તકે જોડાયા.

રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર

Related posts

Leave a Comment