માણાવદર ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જવાહરભાઈ ચાવડા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, માણાવદર

             સમગ્ર ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને જીનીંગ મીલ માણાવદર એટલે કે જવાહરભાઈ ચાવડા ના કાર્યાલય સ્થિત માણાવદર તાલુકામાં સમાવિષ્ટ “જીલ્લા પંચાયત” બેઠક તેમજ “તાલુકા પંચાયત” બેઠકનાં જાહેર થયેલા ઉમેદવારો ના ઉમેદવારી પત્રક ભરવા માટે ઉપસ્થિત ઉમેદવારો ને માર્ગદર્શન સાથે સાથે ઉમેદવારો, હોદેદારો, કાર્યકર્તા, કાર્યક્રમ ની ઝાંખી હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા તેમજ વિજય, વિશ્વાસ ના સંકલ્પ સાથે તમામ ઉમેદવાર ને વિજય અપાવવા સંકલ્પ કર્યો.

         ઉપરાંત કાર્યક્રમ પુર્ણ થયે માણાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલય નુ ઉદ્ઘાટન જવાહરભાઈ ચાવડા ના વરદ હસ્તે થશે.

રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર

Related posts

Leave a Comment